આજેનો દિવસ માં ચંદ્રઘંટાનો છે.




એક વાર, જગદંબામાંથી એક સર્વશક્તિમાન, તેજસ્વી અને અનોખી દેવી પ્રગટ થઈ, જેના શરીરનું વર્ણ સોના જેવું હતું અને જેના માથા પર ઘંટાકાર અર્ધચંદ્રાકાર હતો. ભગવતીના આ પાંચમા સ્વરૂપનું નામ માં ચંદ્રઘંટા છે.
માં ચંદ્રઘંટા 10 હાથવાળી છે. તેમાંથી બે હાથ વરદ અને અભય મુદ્રામાં છે. ચાર હાથોમાં ખડ્ગ, ગદા, તિર, ધનુષ છે, અને બે હાથોમાં કમળના ફૂલ છે. માં ચંદ્રઘંટા વાઘ પર સવાર છે અને તેમના ગળામાં સોનાની માળા પહેરી છે.
માં ચંદ્રઘંટાની પૂજા કરનારા ભક્તોને શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને વિજય પ્રાપ્ત થાય છે. માતાજીની કૃપાથી ભક્તજનોના બધા પાપ દૂર થાય છે અને તેઓ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે છે.